Creator

Creator
Jayanti I Parmar

Thursday, May 23, 2019

*પરસંટાઇલ એટલે શું અને એ કેમ ?*

 પરસંટાઇલ એટલે કોઈ પણ વિદ્યાર્થી કેટલા ટકા વિદ્યાર્થી કરતાં આગળ છે, તે દર્શાવતું માપ.

દા.ત.
*ઉદાહરણ - ૧)* ૧૦૦ વિદ્યાર્થી માંથી પહેલા નંબર ના વિદ્યાર્થી ના માત્ર ૭૦ % હોય છતાં પણ તે ૯૯ વિદ્યાર્થી કરતાં આગળ હોવાથી તેના પરસંટાઇલ ૯૯ થાય.

*ઉદાહરણ - ૨)* હવે ૧૦,૦૦૦ વિદ્યાર્થી માંથી પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી ના માત્ર ૭૦ % હોય છતાં પણ તે ૯૯.૯૯ % વિદ્યાર્થી કરતાં આગળ હોવાથી તેના પરસંટાઇલ ૯૯.૯૯ થાય. 

*ઉદાહરણ - ૩)* એટલે કે ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓ માં પહેલો અને બીજો નંબર ધરાવતા બંને વિદ્યાર્થીઓ ના પરસંટાઇલ ૯૯.૯૯ થાય.

*ઉદાહરણ - ૪)* ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓ માંથી પહેલા ૩ વિદ્યાર્થીઓના પરસંટાઇલ ૯૯.૯૯ થાય.

*ઉદાહરણ - ૫)* ૨૦૧૯ માં ગુજરાત બોર્ડ માં ફૂલ ૮,૨૨,૮૨૩ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી તો પહેલા ૮૨ વિદ્યાર્થીઓ જેમના ટકા ગમે તે હોય પણ એમના પરસંટાઇલ ૯૯.૯૯ થાય.



*પરસંટાઇલ કેવી રીતે ગણાય ?*
(તમે કેટલા વિદ્યાર્થી કરતાં આગળ છો, તે સંખ્યા) × ૧૦૦ ÷ (કુલ કેટલા વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી તે સંખ્યા) = જે તે વિદ્યાર્થી ના પરસંટાઇલ


*શું ૯૯.૯૯ પરસંટાઇલ એટલે બોર્ડ માં પહેલો નંબર થાય ?*
ના, કારણકે ઉદાહરણ - ૫ મુજબ, આ વર્ષે એટલે કે ૨૦૧૯ માં આખા ગુજરાતમાં ૮૨ વિદ્યાર્થીઓ ના ૯૯.૯૯ પરસંટાઇલ છે. *એમાં કોણ પહેલો અને કોણ બીજો એ કોઈને ખબર ન પડે.*



*તો પછી આ પરસંટાઇલ નો ઉપયોગ કેમ કરાય છે ?*

ધારોકે, ગુજરાત બોર્ડ માં પહેલા નંબર વાળા ના ૯૭% છે અને ૫૦ માં નંબર વાળા ના ધારોકે ૯૫% છે.

અને ધારોકે CBSE બોર્ડ માં પહેલા નંબર વાળા ના ધારોકે ૭૦% છે, તો શું CBSE બોર્ડ માં પહેલા નંબર નો વિદ્યાર્થી ગુજરાત બોર્ડ ના ૫૦ માં નંબરના વિદ્યાર્થી કરતાં નબળો કહેવાય ? ના ક્યારેય નહિ.

એટલે જ એડમીશન વખતે ટકા નહિ પણ પરસંટાઇલ જોવાય જેમાં ગુજરાત બોર્ડ માં ૫૦ માં નંબર ના વિદ્યાર્થી ના કદાચ ૯૮.૧૩ પરસંટાઇલ થાય જ્યારે CBSE બોર્ડ માં પહેલા નંબર ના વિદ્યાર્થી ના ૯૯.૯૯ પરસંટાઇલ થાય.



No comments:

Post a Comment